1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે
બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ બનાવાશે. વિવિધ સુવિધાઓ અને અદ્યતન સાધનોથી સજ્જ, આ ચોકીઓ 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદ અને 4,096.7 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદની રક્ષા માટે જવાબદાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માટે ઘણી મદદરૂપ સાબિત થશે.

સરહદ પરની સંપૂર્ણ પોસ્ટમાં રહેઠાણ, લોજિસ્ટિક્સ સપોર્ટ અને નવીનતમ સાધનો સાથે લડાયક કામગીરી માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે. ગયા અઠવાડિયે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ પગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોર્ડર ચોકીમાં ઓછામાં ઓછા એક જવાન બેરેક, એક રસોડું, એક ડાઇનિંગ હોલ, એક ગેરેજ, એક જનરેટર રૂમ, એક ટોયલેટ બ્લોક, એક વહીવટી બ્લોક, વાયરલેસ રૂમ, એક હથિયાર રૂમ અને કોઈપણ હુમલા માટે સ્ટોરેજ રૂમ હોવો જોઈએ. પરિસ્થિતિનો સામનો કરવા માટે છ કાયમી બંકર અને સારવારની સુવિધા હશે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની સરહદો ઉપરથી ગેરકાયદે પ્રવૃતિઓ સામે અગાઉ સામે આવી હતી. જેથી આવી પ્રવૃતિઓને ડામવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્ર સરકાર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. તેમજ પાકિસ્તાનમાંથી આતંકવાદી કાશ્મીરમાં અવાર-નવાર ઘુસણખોરી કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code