1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં કાશ્મીરીઓ માટે ઠરાવ પસાર કરાયો, ભારતે કર્યો ઠરાવનો વિરોધ, આ છે કારણ
ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં કાશ્મીરીઓ માટે ઠરાવ પસાર કરાયો, ભારતે કર્યો ઠરાવનો વિરોધ, આ છે કારણ

ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં કાશ્મીરીઓ માટે ઠરાવ પસાર કરાયો, ભારતે કર્યો ઠરાવનો વિરોધ, આ છે કારણ

0
Social Share
  • કાશ્મીરીઓને ભડકાવવાનું કથિત કાવતરું
  • ન્યૂયોર્ક એસેમ્બલીમાં કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાયો
  • ભારતે આ ઠરાવનો આક્રમક વિરોધ નોંધાવ્યો

ન્યૂયોર્ક: કાશ્મીરીઓને વિભાજીત કરવા માટે એક મોટું કાવતરું રચાઇ રહ્યું છે. હકીકતમાં, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે તેનો આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને ભારતની આંતરિક બાબતમાં દખલગીરી ના કરવા કહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં પસાર કરાયેલા આ ઠરાવને એસેમ્બલી મેમ્બર નાદેર સાયેધ અને અન્ય 12 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ ઠરાવમાં કાશ્મીરી નાગરિકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને તેમાં કહ્યું છે કે ન્યૂયોર્કમાં કાશ્મીરી કોમ્યૂનિટીની મોટું યોગદાન છે.

આ સ્થિતિ વચ્ચે ન્યૂયોર્ક માનવ અધિકારોના રક્ષણ માટે હંમેશા અગ્રેસર રહ્યું છે જેમાં ધાર્મિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભારતે આ ઠરાવની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીર ભારતનો હિસ્સો છે. આ પ્રકારના ઠરાવ પસાર કરીને કાશ્મીરીઓને ધર્મ અને વિવિધ પ્રાંતોના આધારે વિભાજીત કરવાનું આ કાવતરું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.

ભારતની વોશિંગ્ટન સ્થિત એમ્બેસીના અધિકારીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમેરિકાની જેમ ભારત પણ લોકશાહી આધારીત દેશ છે. અમને ધ્યાનમાં આવ્યું છે કે ન્યૂયોર્ક એસેમ્બલીમાં કાશ્મીર અમેરિકા ડે નામનો ઠરાવ પસાર કરાયો છે. તેનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે આ ઠરાવ કાશ્મીરીઓને તેમની સંસ્કૃતિમાં વહેચી દેવા અને ભાગલા પાડવા માટેનું એક કથિત કાવતરું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code