1. Home
  2. ગુજરાતી
  3. જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ
જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ

જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ

0
Social Share

મુંબઈઃ રૂપિયા  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે, તે જેકલીન ફર્નાન્ડીઝ માટે નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરશે. સુકેશે પોતાના પત્રમાં જેકલીનને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી છે. મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલના સળિયા પાછળ છે.

સુકેશે પત્રમાં લખ્યું, ‘મારી બેબી જેકલીન, દોહા શો દરમિયાન તું ખૂબ જ સુંદર લાગી રહી હતી. તારાથી સુંદર કોઈ નથી. કાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ સમય દરમિયાન હું પહેલીવાર નવ દિવસ ઉપવાસ કરવા જઈ રહ્યો છું. આ સાથે, માતાજી બધું ઠીક કરશે અને અમે ટૂંક સમયમાં એકબીજા સાથે રહીશું, પછી ભલે ગમે તે થાય અને હંમેશા સાથે રહીશું. જેલમાં બંધ મહાઠગ સુકેશે ફિલ્મ અમિનેત્રીનો લખેલા પત્રને પગલે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી જેલમાં બંધ સુકેશ અને જેકલિન વચ્ચે સારી મિત્રતા હોવાનું ચર્ચાય રહ્યું છે. એટલું જ નહીં સુકેશે જેકલિનને અનેક મોંઘી વસ્તુઓ ગ્રીફ્ટમાં આપ્યાનું ચર્ચાય રહ્યું છે. સુકેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકડાયેલા અનેક વ્યક્તિઓના સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં અગાઉ તપાસનીશ એજન્સીએ ફિલ્મ અભિનેત્રી જેકલિન અને નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવી હતી. બીજી તરફ જેલમાં બંધ સુકેશ અવાર-નવાર ફિલ્મ અભિનેત્રી જેકલિનને પત્ર લખે છે.  

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code