1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત
જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત

જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત

0
Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમૃતસરથી વૈષ્ણોદેવી (કટરા) જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને ખાડામાં પડી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 10ના મોત થયા છે.જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે અકસ્માતની માહિતી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code