1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં કમોસની વરસાદ, રવિપાકને નુકશાનીની ભીતી, ખેડુતો ચિંતાતૂર બન્યાં
બનાસકાંઠામાં કમોસની વરસાદ, રવિપાકને નુકશાનીની ભીતી, ખેડુતો ચિંતાતૂર બન્યાં

બનાસકાંઠામાં કમોસની વરસાદ, રવિપાકને નુકશાનીની ભીતી, ખેડુતો ચિંતાતૂર બન્યાં

0
Social Share

પાલનપુરઃ ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યો  છે. અને કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ પણ મળ્યા છે. ત્યારે બનાસકાંઠામાં શનિવારથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.  જિલ્લાના અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા,પાંથાવાડા સહિત દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ગત સમી સાંજે આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા. ગઈરાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં પાડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢ ધાનેરા પાથાવાડા દાંતીવાડા સહિતના પંથકમાં વાદળછાયુ વાતાવરણ થતા જિલ્લાના ખેડુતો ચિંતાતૂર બન્યા હતા. ઘઉં રાયડો બટાકા સહિતના તૈયાર પાકો લેવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના દાંતા તાલુકામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાંતા તાલુકામાં કમોસમી માવઠાને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાઓ સર્જાય છે. તો સાથે સાથે કમોસમી વરસાદી માહોલના લીધે ખેડૂત પુત્રો ચિંતામાં મુકાયા છે. શનિવારે વહેલી સવારથી દાંતા તાલુકામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર કમોસમી વરસાદી માવઠાથી ખેડૂત પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. તો તેમના પાકને આ કમોસમી વરસાદના લીધે નુકસાન ભોગવવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં શનિવારે વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code