1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?
બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?

બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?

0
Social Share

15 માર્ચે બુધ દેવની ચાલ બદલાય ગઈ છે. આ દિવસે બુધ મીન રાશિમાં ઉદય પામ્યો છે.3 એપ્રિલ સુધી બુધ દેવ મીન રાશિમાં ઉદિત જ રહેશે. બુધના મીન રાશિમાં ઉદિત રહેવાથી કેટલીક રાશિઓના જાતકોને ખૂબ લાભ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવની બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રતાના કારક ગ્રહ ગણવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે. બુધના શુભ હોવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સુતેલું ભાગ્ય પણ જાગે છે. આ રાશિઓના જાતકોને કિસ્મતનો પુરો સાથ મળશે. આવો જાણીએ, 3 એપ્રિલ સુધીનો સમય કઈ રાશિઓના જાતકો માટે શુભ રહેવાનો છે.

મેષ રાશિ-

બુધના ઉદય થવાથી તમે પોતાના લક્ષ્યોની નજીક પહોંચશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. કામ સાથે સંબંધિત યાત્રા કરી શકો છો, જેનાથી લાભ થશે તમે તમારી નોકરીમાં સંતુષ્ટ થશો. જો કે આ અવધિમાં કારકિર્દીમાં પરિવર્તનની ઓછી સંભાવના હશે, જેનાથી તમને થોડો તણાવ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ-

બુધના ઉદયથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. આ દરમિયાન સિનિયર્સ તમારા કામને નોટિસ કરશે અને તમારી ક્ષમતા પર વિશ્વાસ કરશે. તમારા જીવનમાં મહાલાભ તો નહીં લાવે, પરંતુ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારો આધ્યાત્મ તરફ ઝુકાવ હશે. તમારી બુદ્ધિમત્તા તમને ક્રિએટિવ કાર્યો કરવા માટે આગળ વધારશે. તમે તમારા સાથીની સાથે વધારે જોડાણ અનુભવશો અને તમારા સંબંધો મજબૂત થશે.

મિથુન રાશિ-

બુધના ઉદયથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. તમારી સામે નોકરી સંબંધિત નવા અવસર પણ આવશે. સિનિયર્સ તમારા કામથી પ્રભાવિત થશે અને કામની પ્રશંસા પણ કરશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે કારકિર્દી સંબંધિત સારા અવસરોને પ્રાપ્ત કરી શકશો. કામ સંબંધિત યાત્રામાં લાભ થશે. ધન સંચયમાં પણ સફળતા મળશે.

કન્યા રાશિ-

બુધના ઉદયથી આર્થિક લાભ થવાની સંભાવના છે. તમને આ અવધિમાં પ્રમોશનની સાથે આવકમાં વૃદ્ધિ મળી શકે છે. સંબંધિોની વાત કરીએ, તો તમે તમારા પાર્ટનરની સાથે ક્વાલિટી ટાઈમ વિતાવી શકશો.

મીન રાશિ-

બુધના ઉદયથી તમે દરેક મામલામાં સંતુષ્ટ અનુભવશો. તમે તમારા સંતાન માટે ખુશ થશો. જો વર્ક લાઈફની વાત કરીએ, તો આ દરમિયાન તમને કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારા આર્થિક મામલાઓ સાથે જોડાયેલા પ્રયાસો સફળ થશે. તમે પાર્ટનરની સાથે સારો સમય વિતાવવામાં પણ સફળ થશો

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમારો દાવો નથી કે તે સંપૂર્ણપણે સત્ય અથવા ચોક્કસ છે. વિગતવાર અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. )

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code