1. Home
  2. ગુજરાતી
  3. જાણો શું છે આ ચક્રવાત ‘જવાદ’ – કઈ રીતે સક્રવાતનું નામ પડ્યું ‘જવાદ’
જાણો શું છે આ ચક્રવાત ‘જવાદ’ – કઈ રીતે સક્રવાતનું નામ પડ્યું ‘જવાદ’

જાણો શું છે આ ચક્રવાત ‘જવાદ’ – કઈ રીતે સક્રવાતનું નામ પડ્યું ‘જવાદ’

0
Social Share
  • ચક્રવાતનું નામ જવાદ કઈ રીતે પડ્યું
  • જાણો શું છે આ ચક્રવાત

સમગ્ર દેશભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, વરસાદી ઝાપટાની સાથે વાતાવરણમાં અતિશય ઠંડક પ્રસરી ચૂકી છે ત્યારે આ સમગ્ર એસર ચક્રવાત જવાદના કારણે થી રહી છે.ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગે સમગ્ર દેશમાં ચક્રવાત જવાદને લઈને એલર્ટ જારી કર્યુ છે. એવું કહેવામાં આવ્યું છે કે આ તોફાન 4 ડિસેમ્બરના રોજ ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારાથી અથડાશે. આવી પરિસ્થિતિમાં, સંબંધિત વિભાગો સાવચેત છે. હવામાન આગાહી વિભાગે કહ્યું છે કે આ ચક્રવાત 3 ડિસેમ્બરના રોજ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતના રૂપમાં વિકસી શકે છે. આના કારણે, બચાવ ઝુંબેશથી સંબંધિત તમામ વિભાગો ચક્રવાત વિશે એલર્ટ જોવા મળે  છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસાના અંતમાં આ ચક્રવાત તોફાન આવે છે. આ અટકળો લગદાવવામાં આવી રહી છે કે જ્યારે ચક્રવાત સપાટીથી અથડાશે, ત્યારે હવા 117 કિલોમીટરની ઝડપે ચાલે છે. આવી પરિસ્થિતિમાં, ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે દરેકના મનમાં સવાલ થતો હશે કે જવાદ કંઈ ચક્રવાતનું નામ હોતું હશે, કઈ રીતે નામ પડ્યું હશે,તો ચાલો જાણીએ જવાદ તૂફાન વિશે.

જવાદ એ અરબી શબ્દ છે-જેનો અર્થ ઉદાર થાય છે

જવાદ એક અરબી શબ્દ છે. તેનો અરબી શબ્દમાં ઉદાર અથવા દયાળુ અર્થ થાય છે. આ કારણે, આ તોફાન વધુ જોખમી બનશે નહીં, આ તોફાનનું નામ સાઉદી અરેબિયાના સૂચન પર રાખવામાં આવ્યું છે. આ તોફાનને લીધે  મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

હરિકેનની ચેતવણીને ધ્યાનમાં રાખીને, એનડીઆરએફ જવાનો બચાવ ઝુંબેશો માટે તૈયાર કરવામાં આવી છે. તે જ સમયે, મે મહિનામાં અમ્માન ચક્રવાતને કારણે, ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ તોફાનને લીધે, ઘણા લોકોએ ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે આ જવાદ તેના નામ પ્રમાણે શાત રહેશે વધુ તોફાન નહી મચાવે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code