1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર જિલ્લા- તાલુકા કક્ષાએ 9મી સપ્ટેમ્બરે લોક અદાલત, સમાધાન પાત્ર કેસોનો નિકાલ કરાશે
ગાંધીનગર જિલ્લા- તાલુકા કક્ષાએ 9મી સપ્ટેમ્બરે લોક અદાલત, સમાધાન પાત્ર કેસોનો નિકાલ કરાશે

ગાંધીનગર જિલ્લા- તાલુકા કક્ષાએ 9મી સપ્ટેમ્બરે લોક અદાલત, સમાધાન પાત્ર કેસોનો નિકાલ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ શહેરમાં જિલ્લા અદાલતો તેમજ તાલુકાની અદાલતોમાં આગામી તા, 9મી સપ્ટેમ્બરને શનિવારે લોક અદાલત યોજવામાં આવશે. આ લોક અદાલતમાં જમીન સંપાદન, બેન્કનાં લેણાના દાવા, રેવન્યુ, લેબર સહિતના કેસોનું સુખદ સમાધાન કરવામાં આવશે.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, દિલ્હી દ્વારા નેશનલ લોક અદાલતના નિર્ધારીત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના અધ્યક્ષ તેમજ મુખ્ય ન્યાયાધીશ જે.આર.શાહના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ અગામી 9 મી સપ્ટેમ્બરને શનિવારના રોજ જાહેર રજાના દિવસે ગાંધીનગર જિલ્લાના તાલુકા તેમજ જિલ્લા કક્ષાના નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, છુટાછેડા સિવાયના લગ્ન વિષયક કેસ, નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ–૧૩૮ના કેસ, જમીન સંપાદનના કેસ, બેન્કનાં લેણાના દાવા, પે, અલાઉન્સિસ અને રીટાયર્ડ બેનીફીટસને લગતી સર્વિસ મેટર, મોટર અકસ્માત વળતરના કેસ, રેવન્યુ કેસ, લેબરને લગતા કેસ, ઈલેકટ્રીસીટી તેમજ પાણીના વેરાના કેસ તેમજ અન્ય સિવિલ કેસનું લોક અદાલતમાં સમાધાન કરવામાં આવશે. જે પક્ષકારોને, બેન્ક, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે ઉપરોકત દર્શાવેલા કેસને લગતા પેન્ડીંગ તેમજ પ્રિ-લીટીગેશન કેસોનુ સુખદ સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ કલોલ,માણસા,દહેગામ તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવ સત્તા મંડળના સચિવે અનુરોધ કર્યો છે. ઉપરાંત વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર કોર્ટનો પણ સંપર્ક કરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code