1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ
અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ

અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ

0
Social Share

અમદાવાદ: અરબ સાગરમાં  લો-પ્રેશર સર્જાતા સંભવિત વાવાઝોડાની શક્યતા છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યાં વિસ્તારો પર થશે? તેને લઇને હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો-પ્રેશર ક્યારે ડીપ ડિપ્રેશનમાં પરિણમશે કે કેમ? તે અંગે હવામાન શાસ્ત્રીઓમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે,  આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનવાની સંભાવના છે. ત્યાર બાદ લગભગ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. તેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માછીમારો દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

જો કે  વરસાદની શકયતા નહિવત છે. વાવાઝોડારૂપી ભારે પવન ફુકાવાની શક્યતા છે.

રાજ્યના હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  21મી ઓક્ટોબરે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ દક્ષિણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં  કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે.. હવામાન વિભાગના કહેવા મુજબ  અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર  બન્યું છે. માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં  મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી, ડીસામાં 35.8, ગાંધીનગરમાં 35.5, વલ્લભવિદ્યાનગરમાં 35.5, વડોદરામાં 35, સુરતમાં 35.4, ભુજમાં 36, નલિયામાં 33.7, કંડલાપોર્ટમાં 36.2, અમરેલીમાં 36, ભાવનગરમાં 34.4, દ્વારકામાં 32.2, ઓખામાં 31.6, પોરબંદરમાં 43.2, રાજકોટમાં 36.8, વેરાવળમાં 36.2, સુરેન્દ્રનગરમાં 35.8, મહુવામાં 36.4 અને કેશોદમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 22.6 ડિગ્રી, ડીસામાં 23.6, ગાંધીનગરમાં 23, વલ્લભવિદ્યાનગરમાં 24.6, વડોદરામાં 23.8, સુરતમાં 25, વલસાડમાં 23, ભુજમાં 25, નલિયામાં 23, કંડલા પોર્ટમાં 26, અમરેલીમાં 23, ભાવનગરમાં 24, દ્વારકામાં 25.4, ઓખામાં 26.2, પોરબંદરમાં 23.6, રાજકોટમાં 23.9, વેરાવળમાં 24.5, સુરેન્દ્રનગરમાં 24.6, મહુવામાં 24.6 અને કેશોદમાં 23 ડિગ્રીમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code