1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં મોટી દુર્ઘટના: 4 માળની ઈમારત ધરાશાયી,ઘણા લોકો ફસાયા હોવાની આશંકા  
મુંબઈમાં મોટી દુર્ઘટના: 4 માળની ઈમારત ધરાશાયી,ઘણા લોકો ફસાયા હોવાની આશંકા  

મુંબઈમાં મોટી દુર્ઘટના: 4 માળની ઈમારત ધરાશાયી,ઘણા લોકો ફસાયા હોવાની આશંકા  

0
Social Share
  • મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી
  • ઘણા લોકો ફસાયા હોવાની આશંકા
  • બચાવ કામગીરી શરુ

મુંબઈ:મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં સોમવારે મોડી રાત્રે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.BMCના જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

મુંબઈના નાઈક નગરમાં ધરાશાયી થયેલી ચાર માળની ઈમારતમાં ફસાયેલા લોકોમાંથી વધુ એકને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. બચાવ કામગીરી શરુ છે. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારનું કહેવું છે કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ પુષ્ટિ નથી.

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે મુંબઈમાં બિલ્ડિંગ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.તેમણે કહ્યું કે 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ ત્યાં લોકો રહે છે.અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે.સવારે આ ઈમારતોને ખાલી કરીને તોડી પાડવાની કામગીરી જોઈશું જેથી આસપાસના લોકોને તકલીફ ન પડે.

એ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ જારી કરે છે, ત્યારે બિલ્ડીંગો પોતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે કાર્યવાહી કરવી જરૂરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code