1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓને તાળાં લાગ્યા હતાઃ અમિત શાહ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓને તાળાં લાગ્યા હતાઃ અમિત શાહ

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓને તાળાં લાગ્યા હતાઃ અમિત શાહ

0
Social Share

અમરેલી:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય નેતાઓ પણ ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ  ફરીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને રવિવારે શાહ અમરેલી પહોંચ્યા હતા. અમરેલીની અમર ડેરી ઉપરાંત મધ્યસ્થ બેંક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સંઘ તથા વિવિધ સહકારી મંડળીઓની સંયુકત સાધારણ સભાનુ આયોજન કરાયુ છે. જેમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા એવો પ્રશ્ન પૂછ્યો હતો કે,  કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ પર કેમ લાગ્યા હતા ખંભાતી તાળા?   અમિત શાહે કોંગ્રેસને તેનો સમગ્ર ભૂતકાળ યાદ અપાવ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘હું રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતો અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની બધી જ ડેરીઓને મુડી ભંડોળ આપી ચાલુ કરી અને આજે મને કહેતા ગૌરવ છે કે સૌરાષ્ટ્ર બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છે અને બહેનોને દર 10 દિવસે પૈસા મળે છે. કોંગ્રેસની તત્કાલિન સરકારના શાસનમાં  સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળા લાગી દેવાયા હતા. રફાળેશ્વર જેવા કૌભાંડ કરી બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. દૂધ ખેડૂતો અને વેપારીઓના શોષણ સાથે વહેંચતા હતા, કારણ કે સહકારીઓ ડેરીઓ નહોતી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દૂધ પ્રોસેસ થતું હતું. આજે 1,25,000 લીટર દૂધ પ્રોસેસ થાય છે. ક્યાં 2500 લીટર અને ક્યાં 1,25,000 લીટર,  કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા. કોંગ્રેસની સરકારમાં વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી.

આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અહીં તેમણે વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાજલિં અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, ‘આજે અમરેલીની જિલ્લા કક્ષાની 7 સહકારી મંડળીઓની સામાન્ય સભા એક સાથે થઈ છે. વર્ષ 2014થી હું દેશના 591 જિલ્લાઓમાં ફરી ચૂક્યો છું. 591 જિલ્લામાંથી એકેય જિલ્લામાં જિલ્લાની 7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સામાન્ય સભા ક્યારેય મેં જોઈ નથી. આજે હું અમરેલી જિલ્લાના દરેક આગવાનો અને દિલીપભાઈને અભિનંદન પાઠવું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code