1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી વધુ કેસઃ- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી વધુ કેસઃ- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી વધુ કેસઃ- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

0
Social Share
  • 24 કલાકમાં 10હજાર197 કેસ સામે આવ્યા
  • એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટી

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે દિવાળી બાદ પણ કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાયો છે જો કે તેની સામે સારી બાબત એ છે કે એક્ટિવ કેસો સતત ઘટતા જઈ રહ્યા છે,તેનો આંકડો ખૂબ નીચે જોવા મળી રહ્યો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોનાના 10 હજાર197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સક્રિય કેસોની સંખ્યામાં રેકોર્ડ સ્તરે ઘટાડો નોંધાયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 28 હજાર 555 જ જોવા મળે છે, આ સાથે જ કોરોનાથી થતા મૃ્તયુનો આંકડો પણ નીચો જઈ રહ્યો છે 24 કલાકમાં કોરોનાના કારણે 301 લોકોના મોત થયા છે, જ્યારે તેની સામે 12 હાજર 134 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયા છે.

કેરળમાં નોંધાયા હ હજારથી વધુ કેસ

જો કેરળ રાજ્યની વાત કરવામાં નવા કેસમાંથી 5 હજારને 516 કેસ તો માત્ર કેરળમાં જ નોંધાયા છે. તે જ સમયે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 39 લોકોના રાજ્યમાં મોત થયા છે, જ્યારે 6 હજાર અને 705 લોકો સાજા થયા છે. દૈનિક સંક્રમણનો દર 0.82 ટકા છે, જે છેલ્લા 44 દિવસથી બે ટકાથી ઓછો છે. તે જ સમયે, સાપ્તાહિક સંક્રમણ દર 0.96 ટકા છે, જે છેલ્લા 54 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે.

મહારાષ્ટ્રના થાણેમાં પણ કોરોનાનો કહેર

જો કોરોનાના કેસ મામલે મહારાષ્ટ્રની વાત કરીે તો  થાણેમાં કોરોનાના 117 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 5 લાખ 67 હજાર 903 થઈ ગઈ છે. તે જ સમયે, આ મહામારીને કારણે ચાર લોકોના મોત પણ થયા, જેના કારણે મૃત્યુઆંક વધીને 11 હજાર 562 થઈ ગયો છે. જિલ્લામાં કોરોનાથી મૃત્યુદર 2.03 ટકા છે. દ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code