જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓ અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહી છેલ્લા 5 વર્ષમાં હજારથી વઘુ આતંકીઓને ઠાર કરાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં, 2018 અને 2022ના સમયગાળા વચ્ચે, સુરક્ષા દળો દ્વારા 1002 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, આ જ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોના 308 જવાનો અને 209 નાગરિકો પણ માર્યા ગયા છે. આ સમયગાળા દરમિયાન 626 એન્કાઉન્ટરની ઘટનાઓ બની છે.
ગૃહમંત્રાલય દ્રારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કે રાજ્યએ છેલ્લા ત્રણ દાયકાઓથી સરહદ પારના સમર્થન સાથે આતંકવાદી અને અલગતાવાદી પ્રવૃત્તિઓનો ભોગ લીધો છે.વર્ષ 2018માં 257,વર્ષ 2019માં 157,વર્ષ 2020માં 221,વર્ષ 2021માં 180 અને વર્ષ2022માં 187 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ સહીત રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સંબંધ IB અને LOC તરફથી ઘૂસણખોરીની ઘટનાઓ સાથે છે. 2017માં 136, 2018માં 143, 2019માં 141, 2020માં 51, 2021માં 34 અને 2022માં 14 ઘટનાઓ બની હતી. સુરક્ષા સંબંધિત ખર્ચ માટે 16 હજાર કરોડ રૂપિયા જારી કરાયા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત ખર્ચ માટે ગૃહ મંત્રાલય દ્વારા 16 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. આમાં સુરક્ષા તેમજ રાહત અને પુનર્વસન સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે.
આ સાથે જ વર્ષ 1989 થી 2022 સુધી, કેન્દ્રએ સુરક્ષા સંબંધિત ખર્ચ પર 10528.72 કરોડ રૂપિયા અને રાહત અને પુનર્વસન માટે 5348.68 કરોડ રૂપિયાની ભરપાઈ કરી છે. 2022 માં, પોલીસને વળતર તરીકે 308.98 કરોડ રૂપિયા અને રાહત અને પુનર્વસન માટે રાજ્ય સરકારને 198.62 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રાજ્યમાં આતંકવાદને કારણે, 1989-90માં એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેઠળ પોલીસ હેડ પર 90 ટકા ખર્ચ અને રાહત અને પુનર્વસન હેડ પર 100 ટકા વળતર આપવામાં આવે છે. તે જ સમયે, ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેતા, જમ્મુ-કાશ્મીરમાં 35 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે,
ઉલ્લેખનીય છે કે હવે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત તેજી આવી છે. વર્ષ 2022માં 1.80 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. આ સાથે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા અને આ સ્થળોએ 75 ઉત્સવોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.