1. Home
  2. revoinews
  3. નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી
નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

0
Social Share

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી ‘ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક’ માટે ભારતમાં છે.

પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા આપવાનું અને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં ભારત-આરબ ભાગીદારી માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી અને આપણા લોકોના પરસ્પર લાભ માટે વ્યાપાર અને રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈનના લોકો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ગાઝા શાંતિ યોજના સહિતના ચાલુ શાંતિ પ્રયાસોને આવકાર્યા હતા. તેમણે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તરફના પ્રયાસોને સમર્થન આપવામાં આરબ લીગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code