1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદા ડેમની જળસપાટી 128 મીટરને વટાવી ગઈ, પ્રતિદિન 3.5 કરોડનું વીજળી ઉત્પાદન
નર્મદા ડેમની જળસપાટી 128 મીટરને વટાવી ગઈ, પ્રતિદિન 3.5 કરોડનું વીજળી ઉત્પાદન

નર્મદા ડેમની જળસપાટી 128 મીટરને વટાવી ગઈ, પ્રતિદિન 3.5 કરોડનું વીજળી ઉત્પાદન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં  ઉપરવાસમાંથી પાણી આવકને લઈ ડેમ 128 મીટરની સપાટી વટાવી ગયો છે.  ડેમમાં એટલો જળનો જથ્થો સંગ્રહિત થયો છે. કે આગામી દોઢ વર્ષ સુધી છેક કચ્છ સુધીના વિસ્તારોને પીવાનું પાણી અને સિચાંઈનું પાણી આપી શકાશે. એટલે એમ કહી સકાય કે નર્મદા ડેમ ખરેખર  ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે.

નર્મદા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે 61 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા બંધની જળસપાટી શનિવારે સાંજે 6 કલાકે 127.86 મીટરે નોંધાઈ હતી અને રવિવારે  નર્મદા ડેમની સપાટી 128.11 મીટરે પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 61 સે.મી. નો વધારો નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક સતત ચાલુ જ છે એટલે નર્મદા બંધમાં પાણીની અવાક થતી રહેશે. જેને કારણે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે. હાલ નર્મદા બંધના ઇજનેરો ડેમની જળસપાટી પર નજર રાખી રહ્યા છે. નર્મદા બંધના RBPH રિવરબેડ પાવરહાઉસ અને CHPH કેનલ હેડ પાવર હાઉસ તમામ યુનિટી ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે 1 વર્ષથી બંધ હતા. જેને કારણે રોજની 3.5 કરોડ વીજળી ઉત્પાદન થતા આવક શરૂ થઈ છે. ત્યારે આ પાવર હાઉસ ચાલું થતાં જેમાંથી કુલ નદીમાં જાવક – 13843 ક્યૂસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક –5311 ક્યુસેક કરવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાયો છે. ચાલુ વર્ષે  નર્મદા ડેમમાં પાણી સતત આવક જોતા નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે ટૂંક સમયમાં ભરાશે. જેને કારણે નર્મદા ડેમના નર્મદા ઓથોરિટીની સૂચના મુજબ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code