1. Home
  2. ગુજરાતી
  3. J & Kમાં ગોઝારો અકસ્માત, મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત, અનેક ઘાયલ
J & Kમાં ગોઝારો અકસ્માત, મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત, અનેક ઘાયલ

J & Kમાં ગોઝારો અકસ્માત, મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત, અનેક ઘાયલ

0
Social Share
  • જમ્મૂ કાશ્મીરમાં ગોઝારો અકસ્માત
  • ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી
  • 8 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં ગુરુવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક મિની બસ ખાઇમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ થાથરીથી ડોડા તરફ જઇ રહી હતી. આ દરમિયાન આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને જીએમસી ડોડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડોડાના એડિશન એસપીએ આ અંગે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કુલ 8 લોકોનાં મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

પીએમ મોદીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

ડોડો પહોંચતા પહેલા આ બસ બેકાબૂ બનીને ચિનાબ નદી કિનારી ઊંડી ખીણમાં ખાબકી હતી. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. કારણ કે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code