1. Home
  2. ગુજરાતી
  3. એશિયાના સૌથી મોટા પ્રદૂષણ મુક્ત એરપોર્ટનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું – હજારો રોજગારીનું સર્જન થશે
એશિયાના સૌથી મોટા પ્રદૂષણ મુક્ત એરપોર્ટનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું – હજારો રોજગારીનું સર્જન થશે

એશિયાના સૌથી મોટા પ્રદૂષણ મુક્ત એરપોર્ટનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું – હજારો રોજગારીનું સર્જન થશે

0
Social Share
  • પીએમ મોદીએ યુપીને આપી મોટી ભેટ
  • એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો
  • આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું ઝીરો એમિશન એરપોર્ટ હશે

નવી દિલ્હી: પીએમ મોદીએ યુપીને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ જેવરમાં આજે એશિયાના સૌથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટનું ઉદ્વાટન કર્યું હતું. ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો આ પ્રથમ યુપી પ્રવાસ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિશ્વના ચોથા અને એશિયાના સૌથી મોટા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ જનસભા સંબોધશે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને ફર્સ્ટ નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે એટલે કે તે સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત રહેશે.

શિલાન્યાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જેને અગાઉની સરકારોએ ખોટા સપના આપ્યા હતા તે આજે આંતરરાષ્ટ્રીય છાપ બનાવી રહ્યો છે. આજે, આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સંસ્થાઓ, રેલવે, રાજમાર્ગો, હવાઈ જોડાણ મળી રહ્યું છે. તેથી જ આજે દેશ અને વિશ્વના રોકાણકારો કહે છે કે યુપીનો અર્થ શ્રેષ્ઠ સુવિધા, સતત રોકાણ છે. યુપીની આ આંતરરાષ્ટ્રીય ઓળખને નવા પરિમાણો આપવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે એરપોર્ટના નિર્માણ દરમિયાન હજારો રોજગારીની તકો ઉભી થાય છે. તેને સરળતાથી દોડવા માટે હજારોની પણ જરૂર છે. પશ્ચિમ યુપીમાં હજારો લોકોને નવી નોકરીઓ પ્રદાન કરશે. આવા વિસ્તારો રાજધાનીની નજીક હોય તે પહેલાં એરપોર્ટ સાથે જોડાયેલા ન હતા. એવું માનવામાં આવતું હતું કે દિલ્હી તેમાં છે, અમે આ વિચારસરણી બદલી નાખી. આજે અમે હિન્ડન એરપોર્ટને પેસેન્જર સર્વિસ માટે કાર્યરત બનાવ્યું છે. એ જ રીતે હરિયાણાના હિસારમાં એરપોર્ટ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. જ્યારે હવાઈ જોડાણ વધે છે ત્યારે પર્યટન પણ વધે છે. માતા વૈષ્ણોદેવીની મુલાકાત હોય કે કેદારનાથ યાત્રા, ભક્તોની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, આઝાદીના 7 દાયકા બાદ પહેલી વાર યુપીને તે મળવાનું શરૂ થયું છે જે તે હંમેશાં લાયક રહ્યું છે.  ‎

જેવર પહોંચ્યા બાદ પીએમ મોદીએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના મોડલને જોયું અને જાણકારી પ્રાપ્ત કરી હતી. પીએમ મોદીની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંય પણ છે. જેવરમાં બનવા જઇ રહેલું આ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ યોગી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે.

આ એરપોર્ટની ખાસિયતની વાત કરીએ તો તે, યુપીનું પાંચમાં નંબરનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. દેશમાં હાલ તામિલનાડુ અને કેરળ જ એવા રાજ્યો છે જ્યાં 4-4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એટલે કે આગામી સમયમાં યુપી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે.

નોંધનીય છે કે,  Noida International Airport ના નિર્માણ માટે યમુના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (YEIDA) ને વર્કિંગ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે અને વિક્સિત કરવાની જવાબદારી ઝ્યુરિક એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.

એરપોર્ટના નિર્માણ માટે ઉત્તર પ્રદેશ સરકારે ફેબ્રુઆરી 2021માં 2000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. તેને પૂરું કરવામાં લગભગ 29 હજાર 650 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. જેવર એરપોર્ટનું નિર્માણ 5845 હેક્ટર જમીન પર થઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code