1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ
નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ

નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ

0
Social Share

શારદીય નવરાત્રીનો 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઈ રહ્યો છે.આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવશે અને માતા રાનીની પૂજા કરવામાં આવશે. તો આ દિવસોમાં આ પ્રકારનું ભોજન ભૂલથી ન કરતા અને આ બાબતોનું રાખજો ધ્યાન.

હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલી વાર્તા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ત્યારે તેમાં 9 રત્નો નીકળ્યા અને છેલ્લે અમૃત નીકળ્યું.આ પછી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓને અમૃત ચઢાવવાનું શરૂ કર્યું.પછી બે રાક્ષસો રાહુ-કેતુએ દેવોનું રૂપ ધારણ કર્યું અને અમૃત પીધું.

આ પછી ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કર્યું હતું. ત્યારે તેના લોહીના થોડા ટીપા જમીન પર પડ્યા હતા અને તેમાંથી લસણ ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી. તેથી જ ડુંગળી અને લસણ તીખી ગંધ આપે છે. એવું પણ કહેવાય છે કે રાહુ-કેતુના શરીરમાં અમૃતના થોડા ટીપા પહોંચ્યા હતા, તેથી તેઓમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.

એવું પણ કહેવાય છે કે ડુંગળી અને લસણના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિનું મન ધર્મથી વિચલિત થઈ જાય છે અને અન્ય કામ કરવા લાગે છે. પુરાણોમાં ડુંગળી અને લસણને રાજસિક અને તામસિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તામસિક અને રાજસિક ગુણો વધવાથી વ્યક્તિની અજ્ઞાનતા વધે છે, તેથી જ તેનું મન ધર્મમાં લાગેલું રહે તે માટે તેને હંમેશા સાત્વિક ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે.

માંસ-માછલી, ડુંગળી, લસણ વગેરે જેવા તામસિક ખોરાકને આસુરી પ્રકૃતિનો ખોરાક કહેવામાં આવે છે. જેના કારણે ઘરમાં અશાંતિ, બીમારીઓ અને ચિંતાઓ પ્રવેશ કરે છે, તેથી હિંદુ ધર્મમાં ડુંગળી-લસણ ખાવાને વર્જિત માનવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code