1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે
બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

0
Social Share

અમદાવાદઃ આસો નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન શક્તિપીઠ બેચરાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે.

બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના દિવસો દરમિયાન વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવશે.

શ્રી આદ્યશક્તિ બહુચરાજી માતાજી મંદિરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂર્ણાહૂતિના દિવસે ભાદરવા વદ અમાસના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ કરીને મંદિર સ્વચ્છ કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે આસો સુદ એકમના રોજ 26 સપ્ટેમ્બરે સવારે 07-30 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. આ ઉપરાંત શતચંડી યજ્ઞનો પ્રારંભ 01 ઓક્ટોબરના થશે, તેમજ તેની પૂર્ણાહુતિ 03 ઓક્ટોબરના આસો સુદ આઠમને સાંજે થશે.

આધશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેદ્ય આસો સુદ આઠમના રોજ થશે. તેમજ નવરાત્રિના જવેરાનું ઉત્થાપન 05 ઓક્ટોબર,આસો સુદ દશમની બુધવારે થશે. માતાજીના દશેરા નિશાન ધ્વજારોહણ આસો સુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે આયોજિત કરવામાં આવશે. આસો સુદ દશમને રોજ શ્રી માતાજીની પાલખી બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જશે. આ ઉપરાંત આસો સુદ પૂનમના રોજ પાલખી નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.

બહુચરાજીમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવશે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે અને તમામ સુવિધાઓ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code