1. Home
  2. Tag "Bahucharaji"

યાત્રાધામ બહુચરાજીમાં આજથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, ત્રિ-દિવસીય મેળામાં લોકો ઉમટી પડશે

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં આજે તા. 21મીને રવિવારથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે. અને ત્રિદિવસીય આ મેળામાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકા ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકા માટે એસટીની 550 બસ દોડાવવામાં આવશે. બહુચરાજીમાં  ત્રણ જગ્યાએ હંગામી એસટી બસ સ્ટેન્ડ ઊભાં કરવામાં આવ્યા […]

બહુચરાજીઃ માતાજીની શાહી સવારી નીકળી, પોલીસની ગાર્ડ ઓફ ઓનર

અમદાવાદઃ ગુજરાતનાં પવિત્ર તિર્થસ્થાનો પૈકી એક મહત્વનું તિર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તિર્થસ્થાન સતત અને અવિરત રીતે ‘મા બહુચર’ના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વરસે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વરસે પણ બહુચર માનાં ભક્તો માટે 4 એપ્રિલ […]

યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

બેચરાજીઃ  રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાનો આજે બુધવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. આજે સવારથી જ હાથમાં લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જામ્યો છે. જેનાં સ્મરણ માત્રથી દુ:ખ દૂર થાય છે તેવી મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે.  માનાં […]

બહુચરાજીમાં ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો અને મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મહેસાણાઃ ચૈત્ર મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર મહિનાના પ્રથમ નવ દિવસને ચૈત્રી નવરાત્રી કહેવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના પૂજન-અર્ચન અને આરાધનાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.ત્યારે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં મંદિર પ્રક્ષાલન વિધી આજે ફાગણ વદ અમાસને મંગળવારે […]

બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

અમદાવાદઃ આસો નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન શક્તિપીઠ બેચરાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના દિવસો […]

બહુચરાજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખૂલતા પ્રથમ દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

મહેસાણાઃ જિલ્લામાં સુપ્રસિદ્ધ બહુચર માતાજીનું મંદિર આવેલું છે. રોજબરોજ અનેક ભાવિકો દર્શન માટે આવતા હોય છે. પણ કોરોનાને લીધે 15 દિવસથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થતા ફરીવાર મંદિર આજે 1લી ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. જોકે આજે દર્શનાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. જિલ્લામાં આવેલા યાત્રાધામ […]

કોરોનાના કેસ વધતા સુપ્રસિદ્ધ મંદિરો દ્વારકાધિશ, અંબાજી, બહુચરાજી દર્શનાર્થીઓ માટે સપ્તાહ સુધી બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને રોકવા માટે દર્શનાર્થીઓ માટે મંદિરો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેમાં દ્વારકાધિશ, અંબાજી, શામળાજી, બહુચરાજી સહિત સહિત મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જગત મંદિર એવા દ્વારકાધિશના મંદિરમાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અને જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, […]

બહુચરાજીઃ કોરોના મહામારીને પગલે પૂનમના દિવસે માતાજીની પાલખી નીકળશે નહિ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે કેટલાક પ્રતિબંધ નાખવામાં આવ્યાં છે. તેમજ હવે કોરોનાને પગલે ધાર્મિક કાર્યક્રમોને પણ અસર પડી રહી છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં પૂનમાં દિવસે માતાની નીકળતી પાલખી યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરીને પોષ સુદ પૂનમની રાત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code