1. Home
  2. ગુજરાતી
  3. નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન ‘અમૃતપેક્ષ’ યોજાશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન ‘અમૃતપેક્ષ’ યોજાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન ‘અમૃતપેક્ષ’ યોજાશે

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11 ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ભારતભરમાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના 22.01.2015ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનના સંદર્ભમાં શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન તમામ પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના દરેક ભાગમાં વિશેષ કેમ્પ અને મેળાઓનું આયોજન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા, તેમના ધ્યેયો સાકાર કરવામાં અને તેમના સપના પૂરા કરવામાં સહાયરૂપ બને છે. આ યોજનામાં આકર્ષક વ્યાજ દર અને આવકવેરાના 80C હેઠળ કર બચત માટેની જોગવાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code