Site icon Revoi.in

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

Social Share

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કી પર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “થોડા દિવસો પહેલા એક મામલો સામે આવ્યો હતો, જેના પર ભાજપે આખો સમય ગૃહમાં ચર્ચા થવા દીધી ન હતી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહનું નિવેદન આવ્યું. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભાજપ-આરએસએસની વિચારસરણી બંધારણ વિરોધી અને આંબેડકર વિરુદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, “ભાજપ અને આરએસએસના લોકો બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે. તેઓએ આંબેડકર પ્રત્યેની તેમની વિચારસરણી બધાની સામે દર્શાવી છે. અમે અમિત શાહ પાસેથી રાજીનામું માંગ્યું હતું, પરંતુ તેમ થયું નહીં અને આજે તેઓ ફરી વળ્યા છે. અમે શાંતિપૂર્વક સંસદ તરફ જઈ રહ્યા હતા, જેઓ અમને પ્રવેશવા દેતા ન હતા.