તડકામાં પગ પર સેન્ડલના નિશાનને હવે આ સરળ રીતે કરો દૂર
- તડકામાં પગનું આ રીતે રાખો ધ્યાન
- સેન્ડલના નિશાન પગ પર નહીં પડે
- શરીરનું પણ આ રીતે રાખો ધ્યાન
ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શરીર ડલ પડતું જાય છે.તડકામાં ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગરમીમાં પગ પર પડી જતા સેન્ડલના નિશાન વિશે તો હવે તેને પણ દૂર કરી શકાય છે અને તેના માટે માત્ર કેટલીક ટ્રીકને અપનાવી પડશે.
સૌથી પહેલા તો નારંગીના ઉપયોગની વાત કરવામાં આવે તો નારંગીનો ઉપયોગથી પણ ગરમીમાં સેન્ડલના કારણે પગ પર પડી ગયેલા નિશાનને પણ હટાવી શકાય છે. આ માટે બે ચમચી સંતરાની છાલનો પાવડર લો અને તેમાં દહીં અથવા દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા પગ પર લગાવો. પછી લગભગ 20 મિનિટ સુધી પગને ધોઈ લો.
આ ઉપરાંત એલોવેરાનો પણ ઉપયોગ કરી શકાય છે એલોવેરા જેલ અનેક ગુણોથી ભરપૂર છે, તેને તમારા પગ પર લગાવો.લગભગ 20 મિનિટ માટે તેને પગ પર રહેવા દો.તે પછી પગને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમે દરરોજ આ પ્રક્રિયા લાગુ કરો. જો તમે ઈચ્છો તો બે ચમચી તાજા એલોવેરા જેલના થોડા ટીપા બદામના તેલમાં મિક્સ કરો અને આ મિશ્રણથી તમારા પગની મસાજ કરો અને 15 મિનિટ પછી ધોઈ લો.