1. Home
  2. ગુજરાતી
  3. હવે ગંગા જળ લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે,18 ટકા GST લાદવામાં આવ્યો
હવે ગંગા જળ લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે,18 ટકા GST લાદવામાં આવ્યો

હવે ગંગા જળ લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે,18 ટકા GST લાદવામાં આવ્યો

0
Social Share

દિલ્હી: GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે એટલ કે આજે દિલ્હીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં સરકાર બાજરી પર જીએસટી દર ઘટાડવા અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આની સાથે અન્ય ઘણી બાબતો પર પણ GST દર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ત્યારે હવે નવરાત્રિ પર લોકોએ તેમના ઘરોમાં ગંગા જળ છાંટવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હવે ડાક ઘરમાંથી મળતા ગંગા જળ પર 18 ટકા GST લાદવામાં આવ્યો છે. 30 રૂપિયામાં મળતી 250 mlની બોટલ માટે હવે લોકોએ 35 રૂપિયા ચૂકવવા પડશે.

કેન્દ્ર સરકારની ગંગાજલ આપકે દ્વાર યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને ગંગાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો અને પોસ્ટ ઓફિસની આવક વધારવાનો હતો. શરૂઆતમાં ઋષિકેશ અને ગંગોત્રીથી આવતા 200 અને 500 મિલી ગંગાના પાણીની કિંમત અનુક્રમે 28 રૂપિયા અને 38 રૂપિયા હતી.

હાલમાં ટપાલ વિભાગ ગંગોત્રીના ગંગા જળની 250 મિલી બોટલ ઉપલબ્ધ કરાવી રહ્યું છે જેની કિંમત 30 રૂપિયા હતી. 18 ટકા જીએસટી લાગુ થયા બાદ હવે તેની કિંમત 35 રૂપિયા થઈ ગઈ છે. પોસ્ટલ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સર્કલ દેહરાદૂનથી આદેશ જારી થયા પછી, ગંગાનું પાણી વધેલી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

ગંગાનું પાણી ઓનલાઈન ઓર્ડર કરવા પર એક બોટલની કિંમત 125 રૂપિયા હશે. જો તમે ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ પરથી ગંગાજળ ખરીદો છો, તો સ્પીડ પોસ્ટ ચાર્જની સાથે ગંગોત્રી ગંગાજલની એક 250 મિલી બોટલ 125 રૂપિયામાં, બે બોટલ 210 રૂપિયામાં અને ચાર બોટલ 345 રૂપિયામાં મળશે. ઓર્ડર આપવા પર પોસ્ટમેન તમારા ઘરે પહોંચાડશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code