1. Home
  2. ગુજરાતી
  3. અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’
અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’

અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’

0
Social Share

દિલ્હી – સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ભારે હોબાળો મચ્યો છએ વિપક્ષ દ્રારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા ભારે હંગામો થયો છે ત્યારે અનેક નેતાઓ એક બીજા પર શાબ્દિક વાર કરી રહ્યા છે આ સ્થિતિમાં બીજેપીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી પર આકરા પ્રહાર કર્યા છે

પ્રાપ્ત વિગત પ્રમાણે બીજેપી નેતાએ સોનિયા ગાંઘીની બોલતી બંઘ કરી છે,લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈએ ચર્ચા શરૂ કરી. આ પહેલા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી હતી. ગૌરવ ગોગોઈએ મણિપુરમાં હિંસા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ‘ડબલ એન્જિન’ સરકાર પર સંપૂર્ણ નિષ્ફળતાનો આરોપ મૂક્યો અને કહ્યું કે વિપક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મૌન તિજોરી’ તોડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

આવી સ્થિતિ વચ્ચે ભાજપના સાસંદ નિશિકાંત દુબેએ કોંગ્રેસની બોલતી બંધ કરતા   અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સોનિયા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો બીજેપી સાંસદે કહ્યું, “અગાઉ અમે વિચાર્યું હતું કે રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરશે પરંતુ એવું લાગે છે કે તેઓ બોલવા માટે તૈયાર નથી, કદાચ તેઓ મોડેથી જાગ્યા હશે.” મણિપુર મુદ્દે બીજેપી સાંસદે કહ્યું કે તે પોતે મણિપુરના ઈતિહાસનો શિકાર છે. સુરક્ષા દળોમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા મારા સંબંધીએ આતંકવાદી હુમલામાં પગ ગુમાવ્યા હતા.

 તેમણે કહ્યું, ‘હું સોનિયા ગાંધીનું ખૂબ સન્માન કરું છું. સોનિયા ગાંધી એક ભારતીય મહિલાની જેમ વર્તે છે. તેની પાસે માત્ર બે જ  કાર્યો છે – પુત્રને સેટ કરવો અને જમાઈને હાજર કરવો. હું મારી વાત પર અડગ છું. આ સાથે નિશિકાંત દુબેએ નેશનલ હેરાલ્ડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

બીજેપી સાંસદ નિશિકાંતે વઘુમાં કહ્યું કે હું મારા શબ્દો પર અડગ છું. વિપક્ષી એકતા પર પ્રહાર કરતા દુબેએ કહ્યું કે વિપક્ષમાં બેઠેલા કેટલાક લોકો જ I.N.D.I.A.નું સંપૂર્ણ સ્વરૂપ કહી શકે છે. દુબેએ કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે લડી રહ્યા છે પરંતુ તેમ છતાં કેન્દ્રમાં ગઠબંધન કરી રહ્યા છે. અમે લાલુ યાદવને જેલમાં નથી મોકલ્યા, કોંગ્રેસે તેમને જેલમાં મોકલ્યા છે. શરદ પવારને કોણે હટાવ્યા? મને જેડીયુ માટે મહત્તમ ફંડ મળ્યું. નિશિકાંત દુબેએ કહ્યું કે સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય પુત્રને સેટ કરવાનો અને જમાઈને રજૂ કરવાનો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code