1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારે ST નિગમને ફાળવેલી 201 બસમાંથી 83 લકઝરી બસ સૌરાષ્ટ્રને ફાળવાઈ
ગુજરાત સરકારે ST નિગમને ફાળવેલી 201 બસમાંથી 83 લકઝરી બસ સૌરાષ્ટ્રને ફાળવાઈ

ગુજરાત સરકારે ST નિગમને ફાળવેલી 201 બસમાંથી 83 લકઝરી બસ સૌરાષ્ટ્રને ફાળવાઈ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવા વર્ષની ભેટ સ્વરૂપે 201 નવી લકઝરી બસોની ફાળવણી કરવામા આવી હતી.જેમાં એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્રના ડિવિઝનોને 83 બસની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનને પણ 83માંથી 11 બસ ફાળવવામાં આવતા જે બસના કિલોમીટર પુરા થઈ ગયા છે. એવી ખખડપાંચમ બસો હટાવીને રૂટ્સ પર નવી બસ મુકવામાં આવશે.

ગાંધીનગર ખાતે રાજ્યના તમામ ડિવિઝનને નવી એસટી બસોની ફાળવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટને 11 નવી બસો ફાળવવામાં આવી છે, જયારે જૂનાગઢને 26, અમરેલીને 21, ભાવનગરને 18 અને જામનગર એસટી ડિવિઝનને 7 નવી બસોની ફાળવણી કરવામા આવી છે. નવી એસટી બસો ફાળવવામાં આવી છે તે  તમામ બસ લકઝરી છે. જેથી, મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે. એસટીની ઘણી બસો એવી છે. કે તેના કિલોમીટર પુરા થઈ ગયા છે. છતાંયે રોડ પર દોડાવવામાં આવી રહી છે. આવી ખખડપાંચમ બસો ખાસ કરીને ગ્રામ્ય માર્ગો પર દોડાવવામાં આવે છે. હવે હાલ જે લાંબા રૂટ્સ પર જે બસ દોડાવવામાં આવી રહી છે. તે બસોને ગ્રામડાંના રૂટ્સ પર દોડાવાશે. જ્યારે નવી બસોને લાંબા રૂટ્સ પર દોડાવવામાં આવશે.

સૌરાષ્ટ્રને 83 નવી બસોની ફાળવણી થતાં લાંબા રૂટ પર ફ્રિકવન્સી વધારવામાં આવશે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ભૂજ રૂટની બસોની ફ્રિકવન્સી વધારાશે,  લકઝરી બસને લીધે મુસાફરો આરામદાયક મુસાફરી કરી ઓછા સમયમા એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોચી શકશે.

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 2024ના નવા વર્ષની ભેટ સ્વરૂપે નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામા આવી હતી. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર એમ સૌરાષ્ટ્રના 5 એસ.ટી. ડિવિઝન સામેલ છે. જેથી આ ડિવિઝનમાં કુલ 83 બસોની ફાળવણી થઈ છે. જેનાથી મુસાફરોને ફાયદો થશે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code