
પંજાબ- ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરતો પાકિસ્તાની ઠાર મરાયો
- ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરી કરતો ઈસમ ઠાર
- ઘુસણખોર પાકિસ્તાનોનો હોવાની માહિતી
ચંદીગઢઃ- પંજાબ સ્થિ ફિરોઝપુરની સરહદ પર અવાર નવાર પાકિસ્તાની નાદરિકોની ઘુસમખોરીની ઘચના સામે આવતી હોય છે ત્યારે આજ રોજ ફિરોઝપુરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનીને બીએસએફ જવાનોએ ઠાર માર્યો હતો.
આ ઘટનાને મામલે બીએસએફના સૂત્રોના જણાવ્યા મુજબ ઘુસણખોર સતત આગળ વધી રહ્યો હતો અને અટકવાનું નામ નહોતા લેતો . આગળના જોખનને જોતા તેને ઠાર કરવાની ફરજ પડી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ શુક્રવારે સવારે આંતરરાષ્ટ્રીય ભારત-પાકિસ્તાન સરહદ પર ડેરા બાબા નાનક સેક્ટરમાં ચંદુ વડાલા ચોકી પાસે પાકિસ્તાની ઘુલણ ખોર અને BSF જવાનો વચ્ચેની અથડામણમાં એક BSF જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે અમૃતસર ખસેડવામાં આવ્યો હતો.આ સાથે BSF જવાનોએ એક મોટી આંતરરાષ્ટ્રીય તસ્કરીને નાકામ બનાવી હતી