1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની વાત પોતાનામાં ઘણું કહી જાય છે, તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને ભાઈચારો પહેલા કરતા વધુ વધ્યો છે, તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના આદેશને પડકારતી અરજી આઈએએસ અધિકારી શાહ ફૈસલએ પરત ખેંચી હતી.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓ ઉપર મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વા.ચંદ્રચૂડની આગેવાનીવાળી પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સમક્ષ 11મી જુલાઈથી સુનાવણી શરુ થશે. સુપ્રીમ કોર્ટમાં લગભગ આર્ટીકલ 370 દૂર કરવાના નિર્ણયની વિરોધમાં લગભગ બે ડઝન જેટલી અરજી થઈ હતી. 5મી ઓગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાંથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી હતી. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે આઈએએસ અધિકારી શાહ ફૈસલએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, તેમણે પણ અરજી પરત ખેંચી લીધી છે. તેમજ જણાવ્યું હતું કે, હવે આ વાત ભૂતકાળ બની ગઈ છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ શાંતિ-વિકાસ અને ભાઈચારો વધ્યો છે. હવે કોઈ નથી ઈચ્છતું કે આમાં કોઈ ફેરફાર થાય. મામલો હાલ કોર્ટમાં વિચારધીન છે એટલે આ મામલે હાલ એટલું જ કહીંશ કે, સંસદના બંને ગૃહમાં બિલ પાસ કરાયું હતું અને કલમ 370 અને 35એ હંમેશા માટે હટાવવામાં આવી હતી. આ જમ્મુ-કાશ્મીરના હિતમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code