1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે
ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા આખલાઓનું રસી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખસીકરણના આ અભિયાનમાં 50 હજારથી વધારે રખડતા આખલાઓની ખસી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. જેથી પ્રજામાં પણ ફેલાયો છે. તેમજ આવા બનાવો અટકાવવા માટે અસરકારક પગલા ભરવાની માંગણી કરવામાં આવી હતી.  રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50,000 રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. આ ખસીકરણની કામગીરી નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવશે.

સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code