1. Home
  2. ગુજરાતી
  3. સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે દેશ વ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પીએફઆઈ દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં સરકાર સામે ગૃહ યુદ્ધની તૈયારી કરી રહ્યાંનું ખૂલ્યું હતું. પીએફઆઈએ અનેક રાજકીય નેતાઓને ટાર્ગેટ બનાવવાનું કાવતરુ ધડ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન મંગળવારે દેશના વિવિધ રાજ્યોમાં મોટાપાયે દરોડા પાડીને લગભગ 200 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને 30થી વધુની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ લગભગ 8 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. તાજેતરમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100 થી વધુ PFI કાર્યકરોની અટકાયત કરી હતી. મંગળવારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં તપાસ કરવામાં આવી હતી. હિંસક પ્રદર્શનના યોજના અંગેના સંબંધિત ઈનપુટ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, એક ગુપ્ત નોટથી જાણવા મળ્યું હતું કે, PFI સરકારી એજન્સીઓ, નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, PFIએ સરકાર સામે હિંસક જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. પીએફઆઈએ ‘બયાથીસ’નો રસ્તો પસંદ કર્યો હોવાના અહેવાલ છે. આ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ મોત કા સોદાગર’ અથવા ‘ફિદાયીન’, તેમણે મરવાની અને મારવાની શપથ લીધી હતી.  NIA, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ મંગળવારે 8 રાજ્યમાં દરોડા પાડ્યાં હતા. આસામમાંથી PFIના 7 નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટકમાં 45 સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. આ ધરપકડ કરાયેલ અથવા અટકાયતમાં લેવામાં આવેલા પીએફઆઈ નેતાઓએ કાં તો NIAને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને અગાઉ વિરોધ પ્રદર્શન કર્યા હતા અથવા સ્થાનિક સ્તરે તણાવમાં વધારો કર્યો હતો.

પુણેમાં, રાજ્ય પોલીસે કથિત ભંડોળના કેસમાં પૂછપરછ માટે 6 PFI સમર્થકોની અટકાયત કરી હતી. યુપીના સિયાના અને સારુપુરમાં કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત મેરઠ, બુલંદશહેર અને સીતાપુરમાંથી ઘણા સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી હતી. રાજધાની દિલ્હીના શાહીન બાગ અને જામિયા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન લગભગ 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code