1. Home
  2. ગુજરાતી
  3. PM જસ્ટિન ટ્રુડો કેનેડા જવા રવાના, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસ દિલ્હીમાં હતા
PM જસ્ટિન ટ્રુડો કેનેડા જવા રવાના, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસ દિલ્હીમાં હતા

PM જસ્ટિન ટ્રુડો કેનેડા જવા રવાના, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસ દિલ્હીમાં હતા

0
Social Share

દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો મંગળવારે બપોરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીથી કેનેડા જવા રવાના થયા હતા. જસ્ટિન ટ્રુડો 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેઓ રવિવારે કેનેડા જવાના હતા. પરંતુ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પછી તેણે બે દિવસ દિલ્હીમાં રહેવું પડ્યું.

વાસ્તવમાં, જસ્ટિન ટ્રુડો G-20 સમિટમાં ભાગ લીધા બાદ રવિવારે ઘરે જવા રવાના થવાના હતા. પરંતુ ટેકઓફ પહેલા તપાસ દરમિયાન પ્લેનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. આ પછી કેનેડાની સુરક્ષા એજન્સીઓએ એરક્રાફ્ટ એરબસ CFC001ને ઉડતા અટકાવી દીધું.

આ પછી કેનેડાના વડા પ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું કે,જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળને ભારતથી પરત લેવા માટે બેકઅપ એરક્રાફ્ટ CFC002 આવી રહ્યું છે. જોકે, બેકઅપ પ્લેન ન આવતાં તેઓ પ્લેન રિપેર કર્યા બાદ બપોરે 1 વાગ્યે રવાના થયા હતા. કેનેડાના વડા પ્રધાન કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે તકનીકી ખામીને ઠીક કરવામાં આવી છે. તેને ઉડાન ભરવાની પરવાનગી મળી ગઈ છે.

જસ્ટિન ટ્રુડોએ જી-20ની બાજુમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી.આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડોને કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અંગે ભારતની મજબૂત ચિંતાઓ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ ટ્રુડોનું ધ્યાન ખાલિસ્તાની અલગતાવાદીઓ તરફ દોર્યું જે રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા હતા અને ભારતીયોને ધમકી આપી રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code