1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ કુવૈતના નવા બનેલા પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ – બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવાની કરી વાત
PM મોદીએ કુવૈતના નવા બનેલા પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ – બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવાની કરી વાત

PM મોદીએ કુવૈતના નવા બનેલા પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ – બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવાની કરી વાત

0
Social Share
  • પીએમ મોદી એ કુવૈતના નવા પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ
  • બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવાની કહી વાત

દિલ્હીઃ-  ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્દર મોદી વિશ્વભરના દેશોના નેતાઓ સાથે સારા સંબંધોને લઈને જાણીતા છે,વિશ્વના દેશોમાં જો કોઈ નવા નેતા નિમાય છે તો પીએમ મોદી તેઓને અવશ્ય શુભેચ્છાઓ પાઠવે છે આ શ્રેણીમાં જો વાત કરીએ તો વડાપ્રધાન મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધો ઘણા સુધર્યા છે ત્યારે હવે કુવૈતમાં નવા પ્રધાનમંત્રી બનતા જ પીએમ મોદીે તેમને શુપભકામનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કુવૈતમાં નવા પ્રધાનમંત્રી તરિકે શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ ખાસ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમને અભિનંદન પાઠવ્યા છે.

આ બાબતે  PM મોદીએ ટ્વિટ કરીને શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને કુવૈતના વડા પ્રધાન તરીકે નિમણૂક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની વાત પણ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ શુભેચ્છઆ આપી હતી તેમણે કહ્યું કે , ‘કુવૈતના વડાપ્રધાન તરીકે તેમની નિમણૂક પર મહામહિમ શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને મારા અભિનંદન અને શુભેચ્છાઓ. હું કુવૈતના આપણા દેશ સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code