1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરી સમીક્ષા  
PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરી સમીક્ષા  

PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરી સમીક્ષા  

0
Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ યુદ્ધગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. પીએમએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા થઈ હતી. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભાગ લીધો હતો અને PMને સુડાનની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે મોડી સાંજે બંને પક્ષો સુડાનમાં સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધને લઈને 24 કલાકના યુદ્ધવિરામ પર સંમત થયા હતા, પરંતુ યુદ્ધવિરામ ખૂબ જ જલ્દી ભંગ થઈ ગયો હતો. બુધવારે પાંચમા દિવસે, ડબ્લ્યુએચઓએ દેશમાં 270 લોકોના મોતની જાણ કરી, જ્યારે 2,600 થી વધુ ઘાયલ થયા હતા.

આ દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને ભારત સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યું છે અને વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા, બ્રિટન, યુએઈ અને સાઉદી અરેબિયા સાથે વાત કરીને સંકલન શરૂ કર્યું છે. તોપમારો અને હવાઈ હુમલાઓએ રાજધાની ખારતુમ અને નીલ નદીના ઓમડુરમૈનને હચમચાવી નાખ્યું છે. દેશમાં કોઈ અજાણ્યા સ્થળે 31 ભારતીયો ફસાયેલા હોવાના અહેવાલો પણ છે.

ભારતીયોની સુરક્ષા પર જયશંકરે ચાર દેશો સાથે ચર્ચા કર્યા બાદ ટ્વિટ કર્યું કે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર, જેઓ અમારા સંપર્કમાં છે. તેમને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને બ્રિટન-અમેરિકા તરફથી પણ વ્યવહારુ સમર્થનનું આશ્વાસન મળ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code