1. Home
  2. ગુજરાતી
  3. કેરળના પૂર્વ સીએમ ઓમેન ચાંડીના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
કેરળના પૂર્વ સીએમ ઓમેન ચાંડીના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

કેરળના પૂર્વ સીએમ ઓમેન ચાંડીના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

0
Social Share

દિલ્હીઃ- આજરોજ કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે.કે. સુધાકરને મંગળવારે આ દુખદ સમાચાર આપ્યા હતા. પૂર્વ નેતા ચાંડીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીઘા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી ઉમર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઓમેન ચાંડી 2004-06 અને 2011-16 દરમિયાન બે વાર કેરળના મુખ્ય મંત્રી બન્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ 27 વર્ષની વયે 1970 રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો હતો. આ પછી તેણે સતત 11 ચૂંટણી જીતી. છેલ્લા પાંચ દાયકામાં ફક્ત તેમના ગૃહ મતવિસ્તાર પુથુપ્પલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ સુધાકરણે તેમના નિધનને લઈને ટ્વીટ કર્યું  છે અને કહ્યું હતું  પ્રેમની શક્તિથી વિશ્વને જીતનાર રાજાની વાર્તાનો અંત હ્દયને સ્પર્શી જાય છે. હું દિગ્ગજ ઓમેન ચાંડીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને પ્રભાવિત કર્યું અને તેમનો વારસો હંમેશા આપણા આત્મામાં ગુંજતો રહેશે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પૂર્વ નેતા ઓમેન ચાંડીના નિધનને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને તેમણએ ટ્વિટ કરીને કહ્યું છે કે  ‘ઓમન ચાંડી જીના નિધનથી હું દુખી છું. અમે એક નમ્ર અને સમર્પિત નેતા ગુમાવ્યા છે જેણે પોતાનું જીવન જનસેવા માટે સમર્પિત કર્યું અને કેરળની પ્રગતિ માટે  ઘણુ કામ કર્યું. મને તેમની સાથેની મારી વિવિધ વાતચીત યાદ છે, ખાસ કરીને જ્યારે અમે બંને પોતપોતાના રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને પછી જ્યારે હું દિલ્હી ગયો હતો. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code