દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છએ ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી યમુના નદીનું જળ સ્તર વધતા શાળાઓમાં રજા અપાી હતી સાથે જ અનેક માર્ગો પર પરિવહન સેવા અટકાવવામાં ાવી હતી જો કે હવે યમુના નદીનું દળ સ્તર સુધરતું જોવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને સોમવારની રાત્રે 10:00 વાગ્યે યમુનાનું જળસ્તર 206 મીટર નોંધાયું હતું. યમુનાના જળસ્તરમાં ઘટાડાને જોતા દિલ્હી સરકારના પરિવહન વિભાગે પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપી છે.
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભલે નીચે આવ્યું હોય, પરંતુ યુપીમાં યમુના ખતરાના નિશાનથી નીચે આવતાં ફરી એકવાર વધવા લાગી છે. જેના કારણે ઉત્તર પ્રદેશના આગ્રા-મથુરાના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જો દિલ્હીની વાત કરીએ તો જાણકારી અનુસાર હવે દિલ્હીમાં ભારે માલસામાનના વાહનોનો પ્રવેશ સિંઘુ બોર્ડરથી જ પ્રતિબંધિત રહેશે. યમુનામાં પૂરને ધ્યાનમાં રાખીને, 13 જુલાઈના રોજ, દિલ્હીની આપની સરકારે સિંઘુ બોર્ડર, બદરપુર બોર્ડર, લોની બોર્ડર અને ચિલ્લા બોર્ડરથી દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બાકીની સરહદ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે જેથી રાહદારીઓને પણ રાહત મળી છે.
દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડથી ISBT કાશ્મીરી ગેટ તરફ આવતી આંતરરાજ્ય બસો માત્ર સિંઘુ બોર્ડર સુધી જ આવી શકશે.
જો કે, આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો વહન કરતા ભારે વાહનોના પ્રવેશને મુક્તિ આપવામાં આવશે. બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી કાઢવામાં આવે છે દિલ્હી સરકારે કહ્યું કે બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી કાઢી લેવામાં આવ્યું છે અને મશીનોને સૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવાર સુધીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઈ શકે છે.જેથી આજે સ્થિતિ વધુ સામાન્ય નોંધાઈ શકે છે,આસપાસ રહેતા લોકોને છૂટછાટ મળવાથી થોડી રાહત થશે.