1. Home
  2. ગુજરાતી
  3. જલિયાવાલા બાગ હત્યાકાંડ- PM મોદીએ શહીદોના બલીદાન સલામ કરીને કહ્યું ‘તેમની હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે’
જલિયાવાલા બાગ હત્યાકાંડ- PM મોદીએ શહીદોના બલીદાન સલામ કરીને કહ્યું ‘તેમની હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે’

જલિયાવાલા બાગ હત્યાકાંડ- PM મોદીએ શહીદોના બલીદાન સલામ કરીને કહ્યું ‘તેમની હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે’

0
Social Share
  • 13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ
  • PM મોદીએ શહીદોના બલીદાનને કરી સલામ
  • સીએમ યોગીએ પણ શહીદોને કર્યા યાદ

 

દિલ્હીઃ દેશ આઝાદ થયો ત્યા સુધી કેટલાય વીર જવાનોએ પોતાનું બલિદાન આપ્યું અને શહીદ થયા ત્યારે આજનો આ દિવસ પણ કંઈક ખાસ ઘટનાની યાદ અપાવી જોય છે વાત છે વર્ષ 1919, તારીખ 13મી એપ્રિલની કે આ દિવસના રોજ અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને શહીદ થયા.

આજના આ દિવસે જ્યારે બ્રિટિશ સરકારે હજારો નિઃશસ્ત્ર ભારતીયોને મોચને ઘાટ ઉતાર્યા હતા, બ્રિટિશ શાસક જનરલ ડાયરે જલિયાવાલા બાગ ખાતે શાંતિપૂર્ણ સભા માટે ભેગા થયેલા હજારો ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આજે દરેક ભારતીય તેમની શહાદતને સલામ કરી રહ્યો છે.ત્યારે આજના આ દિવસે દેશના પ્રધાનમંત્રી  નરકેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથે પણ શહીદોના બલિદાનને સલામ કરી છે.

પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે, ‘1919માં આજના દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થનારા લોકોને શ્રદ્ધાંજલિ. તેમની અપ્રતિમ હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. “હું ગયા વર્ષે જલિયાવાલા બાગ મેમોરિયલના નવીનીકરણ સંકુલના ઉદ્ઘાટન સમયે આપેલું મારું ભાષણ શેર કરી રહ્યો છું,”

ઉલ્લેખનીય છે કે પંજાબના અમૃતસર જિલ્લાના ઐતિહાસિક સુવર્ણ મંદિર પાસે આવેલા જલિયાવાલા બાગ નામના આ બગીચામાં બ્રિટિશ ગોળીબારથી ગભરાયેલી ઘણી મહિલાઓએ પોતાના બાળકો સાથે પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં કૂદી પડી હતી. નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો હોવાથી હજારો લોકો ગોળીઓનો  શિકાર બની શહીદ થયા હતા

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code