1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

0
Social Share
  •  PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમને કરશે સંબોધિત
  • એમિક્રોન,વાયુ પ્રદુષણ વગેરે પર થઇ શકે છે ચર્ચા  

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. વર્ષ 2021માં આવું 11મી વખત થશે.વડાપ્રધાને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે.

મન કી બાતનો આ 83મો એપિસોડ હશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ કાયદા વિશે વાત કરી શકે છે. આ ઉપરાંત કોરોનાનું નવું સ્વરૂપ એમિક્રોન, હવામાન પરિવર્તન, વાયુ પ્રદૂષણ, રોજગાર વગેરે જેવા વિષયો પર વાત કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ માટે સામાન્ય લોકો પણ પોતાના સૂચનો આપી શકે છે. પીએમ મોદીએ ખુદ લોકોને તેમના મંતવ્યો અને સૂચનો આપવા અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે,તેઓ આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે સંભવિત વિષયો પર લોકો પાસેથી સૂચનો માંગી રહ્યા છે. તેમણે તેમને સૂચનો મોકલવા અથવા તેમના સંદેશાઓ MyGov, NaMo એપ્લિકેશન પર રેકોર્ડ કરવા વિનંતી કરી.

તે જ સમયે, લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કૉલ કરીને હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં તેમનો સંદેશ પણ રેકોર્ડ કરી શકે છે. ફોન લાઇન શુક્રવાર સુધી ખુલ્લી રહેવાની હતી. આ કાર્યક્રમ માટેના સૂચનો પણ 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMS દ્વારા મળેલી લિંક પરથી સીધા વડાપ્રધાનને મોકલી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ સાંભળી શકાશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code