1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે સુરત ખાસે શરુ થતા ત્રણ દિવસના વૈશ્વિક પાટીદાર વ્યાપાર સંમેલસનનું વીડિયો કોન્ફોરન્સથી કરશે ઉદ્ધાટન
પીએમ મોદી આજે સુરત ખાસે શરુ થતા ત્રણ દિવસના વૈશ્વિક પાટીદાર વ્યાપાર સંમેલસનનું વીડિયો કોન્ફોરન્સથી કરશે ઉદ્ધાટન

પીએમ મોદી આજે સુરત ખાસે શરુ થતા ત્રણ દિવસના વૈશ્વિક પાટીદાર વ્યાપાર સંમેલસનનું વીડિયો કોન્ફોરન્સથી કરશે ઉદ્ધાટન

0
Social Share

 

 

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સુરતમાં વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.29 એપ્રિલથી 1 મે સુધી ચાલનારી આ ત્રણ દિવસીય સમિટમાં સરકારી ઔદ્યોગિક નીતિ, MSME, સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેશન સંબંધિત વિવિધ પાસાઓને  પણ આવરી લેવામાં આવ્યા છે.

આ મામલે વડા પ્રધાન કાર્યાલય દ્વારા ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ સમિટ સુરતમાં થઈ રહી છે અને તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં સાહસિકતા અને મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.

પીએમઓ દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરદારધામ મિશન 2026 હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો હેતુ પાટીદાર સમાજનો આર્થિક વિકાસ કરવાનો છે. આ કોન્ફરન્સનું ઉદઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. આ મિશનની આ વર્ષની મુખ્ય થીમ ‘આત્મનિર્ભર સમુદાયથી આત્મનિર્ભર ગુજરાત અને ભારત’ રાખવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code