પીએમ મોદી આજે સુરત ખાસે શરુ થતા ત્રણ દિવસના વૈશ્વિક પાટીદાર વ્યાપાર સંમેલસનનું વીડિયો કોન્ફોરન્સથી કરશે ઉદ્ધાટન
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સુરતમાં વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.29 એપ્રિલથી 1 મે સુધી ચાલનારી આ ત્રણ દિવસીય સમિટમાં સરકારી ઔદ્યોગિક નીતિ, MSME, સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેશન સંબંધિત વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
આ મામલે વડા પ્રધાન કાર્યાલય દ્વારા ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ સમિટ સુરતમાં થઈ રહી છે અને તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં સાહસિકતા અને મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
પીએમઓ દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરદારધામ મિશન 2026 હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો હેતુ પાટીદાર સમાજનો આર્થિક વિકાસ કરવાનો છે. આ કોન્ફરન્સનું ઉદઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. આ મિશનની આ વર્ષની મુખ્ય થીમ ‘આત્મનિર્ભર સમુદાયથી આત્મનિર્ભર ગુજરાત અને ભારત’ રાખવામાં આવી છે.