1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં IPLની મેચને લીધે પોલીસનું જાહેરમાનું, જાણો ક્યા રસ્તાઓ ક્યારે બંધ રહેશે
અમદાવાદમાં IPLની મેચને લીધે પોલીસનું જાહેરમાનું, જાણો ક્યા રસ્તાઓ ક્યારે બંધ રહેશે

અમદાવાદમાં IPLની મેચને લીધે પોલીસનું જાહેરમાનું, જાણો ક્યા રસ્તાઓ ક્યારે બંધ રહેશે

0
Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની કુલ ત્રણ જેટલી મેચ રમાશે. જેમાં  પ્રથમ મેચ 24 માર્ચ, બીજી મેચ 31 માર્ચ અને ત્રીજી મેચ તા. 4 એપ્રિલના રોજ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની ત્રણ મેચોને નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટરસિયાઓ ઉમટી પડશે. જે દિવસે મેચ રમાવવાની હશે તે દિવસે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાતના 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે, જેના માટે 50ની પેપર ટિકિટ અપાશે. આ ઉપરાંત  AMTSની 20 બસ મૂકવામાં આવશે. રાતે 5 રૂટનું પ્રતિ મુસાફર 20 રૂપિયા ભાડું લેવામાં આવશે, તેમજ BRTS દ્વારા પણ એકસ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે.

અમદાવાદમાં રમાનારી આઈપીએલ મેચને લીધે પોલીસ કમિશનરના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયા મુજબ શહેરના મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. 24 માર્ચ અને 4 એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી રોડ બંધ રહેશે. જ્યારે 31 માર્ચના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ રોડ બંધ કરવામાં આવશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ઓએનજીસી વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL 2024ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને આ ત્રણ દિવસ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના મેટ્રો સ્ટેશન પર રાતે 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવા ચાલુ રહેશે. મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે દર્શાવેલી IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિદીઠ ફિકસ રૂ.50 રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

IPL ક્રિકેટ મેચ દરમિયાન લોકો પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાના કારણે પોતાનાં વાહનો લઈને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવવાની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલે કે મેટ્રો, AMTS અને BRTS બસનો ઉપયોગ કરતા હોય છે, જેમાં મેટ્રો ટ્રેનનો સમય વધારવા અંગેનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે અને સ્પેશિયલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTSની માત્ર 10 બસ જ મૂકવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code