ગણતંત્ર દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર ટ્વિટર (X) પર પોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, ‘દેશના અમારા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.’
ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર દેશભરમાં જ નથી થઈ રહી પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો પડઘો સંભળાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના સંદેશમાં લખ્યું કે, ‘આપણા સામાન્ય રાષ્ટ્રીય દિવસો પર અમને અમારી મિત્રતાની ઊંડાઈની ઉજવણી કરવાનો મોકો મળે છે.’ તે જાણીતું છે કે ઓસ્ટ્રેલિયા પણ 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી, રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ પણ આ પાવન પર્વ પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.