1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે, વલસાડમાં જાહેરસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે, વલસાડમાં જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે, વલસાડમાં જાહેરસભા સંબોધશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં હતા અને અમદાવાદ, બનાસકાંઠા અને પંચમહાલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન ફરી એકવાર તા. 6 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે ફરી એકવાર આવે તેવી શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં તા.6 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને જાહેરસભાને સંબોધન કરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાવનગરમાં આયોજીત એક સમુહ લગ્નમાં પીએમ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code