1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ
વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

0
Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં લગભગ સાત હજાર વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વાવાઝોડાની અસરને પગલે રેલ અને હવાઈ સેવાને પણ અસર થઈ છે.

વાવાઝોડાની શકયતાને પગલે દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલ અને ગીર ગઢડામાં 1.5 ઇંચ, જૂનાગઢ અને કલ્યાણપુરમાં 1.5 ઇંચ, સૌરાષ્ટ્રના માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળમાં લગભગ 10 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હરકતમાં આવેલા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હી છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ,મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

  • રેલ વ્યવહારને અસર

સાવચેતીના પગલા રૂપે વાવાઝોડાનાં સંભવિત વિસ્તારમાં રાજકોટ જિલ્લામાંથી પસાર થતી 36 ટ્રેનોને સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, રાજકોટ ડિવિઝન મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સંબંધિત પગલા પણ લઈ રહ્યું છે. જેમાં વેરાવળ-રાજકોટ એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ, પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ, કનાલુસ-પોરબંદર સ્પેશિયલ, વડોદરા-જામનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી જેવી કુલ 36 ટ્રેન, કે જે પોરબંદર, જામનગર, રાજકોટ તેમજ દ્વારકા જિલ્લામાંથી પસાર થતી અને દિલ્લી, ઈન્દોર, મુઝ્ઝફરપુર અને બાંદ્રા ટર્મિનસ સુધી જતી ટ્રેન તારીખ 12 જૂન થી 17 જૂન સુધી અંશતઃ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હવાઈ સેવાને અસર પડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code