1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાંગના રાજા ધનરાજસિંહનો ભાજપ સાથે છેડો ફાડીને રાજકીય સન્યાસ
ડાંગના રાજા ધનરાજસિંહનો ભાજપ સાથે છેડો ફાડીને રાજકીય સન્યાસ

ડાંગના રાજા ધનરાજસિંહનો ભાજપ સાથે છેડો ફાડીને રાજકીય સન્યાસ

0
Social Share

આહવા :  આઝાદીના વર્ષો બાદ આજે પણ લોકોમાં રાજાઓ પ્રત્યે માન-સન્માન જોવા મળે છે. રાજાઓના સાલિયાણા પણ વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આદિવાસી પ્રજા પર અનેરૂ માન ધરાવતા વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબાર યોજાય તે પહેલા જ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધનરાજસિંહ વર્ષોથી ભાજપ સાથે જાડોયેલા હતા. તેથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. વાસુરણા સ્ટેટના રાજાએ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વિધનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીતમાં તેમની મહત્વની ભૂમિકા હતી. વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી વધુની લીડ અપાવવામાં તેમનો મહત્વનો હાથ હતો. ત્યારે તેમના રાજકીય સંન્યાસની જાહેરાતથી ભાજપને આગામી વિધાનસભામાં મોટો ફટકો પડશે.

ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ બીજેપી સાથે છેડો ફાડ્યો છે. જોકે, તેમણે કોઈ બીજા પક્ષમાં જવાની જાહેરાત નથી, તેઓ રાજકીય સંન્યાસ લેવાના છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીનો  વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી વધુની લીડ અપાવવામાં મહત્વનો હાથ હતો. પાર્ટીના આદેશ મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને ભેગા કરી તેમણે પોતાની તાકાત બતાવી હતી. તેઓ પૂર્વ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને 20 વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેમણે લાંબી રાજકીય સફર કાપી છે. ત્યારે તેમના આકસ્મિક જાહેરાતથી ભાજપને ફટકો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશી છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ભાજપ તરફથી પોલીસ પટેલોને આપેલુ વચન ન પાળી શકતા રાજવી તરીકે જુઠ્ઠા પડયાનું હોવાનુ દુઃખ તેમને સતાવતુ હતું. ત્યારે રાજકીય સંન્યાસ લેતા સમયે તેમણે કહ્યું કે, રાજકારણીઓને શરમ નથી નડતી, પણ અમે રાજવીઓને શરમ નડે છે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે,  રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ડાંગમા યોજનાર ડાંગ દરબારને લઈને પણ નારાજ હતા. કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ. ન તે આ માટે હાલના રાજાોને મીટિંગમાં બોલાવાયા છે, જેથી લઈને તેઓએ નારાજગી બતાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code