રાજસ્થાન: આજે સાંજના 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ,જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન
- કોરોનાની સાંકળ તોડવાના પ્રયાસ
- આજથી સોમવાર સુધી વીકેંડ કર્ફ્યું
- જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન
જયપુર : કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાનમાં હવે વીકેંડ કર્ફ્યુ લાદવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે, આજે સાંજના છ વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ લાગૂ રહેશે.આ દરમિયાન દુકાનોનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી ખાદ્ય પદાર્થ અને કરિયાણાનો સામાન અને લોટની મિલ ખુલશે.
આ માટે ગૃહ વિભાગે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે, દરરોજ કોરોના વાયરસ સંક્રમિતો અને મૃતકોની સંખ્યા વધી રહી છે.એવામાં આ મહામારીના પ્રસારની સાંકળને અસરકારક રીતે તોડવી જરૂરી છે. તેથી,લોકડાઉનને બદલે કડક પગલા ભરવા જરૂરી છે. આ દિશામાં સરકારે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકાર અપેક્ષા રાખે છે કે, જનતા આમાં સહકાર આપશે.
આદેશ મુજબ તમામ ખાદ્ય પદાર્થો અને કરિયાણાનો સામાન, લોટ દળવાની મિલ, પશુપાલન માટેની દુકાનો સોમવારથી શુક્રવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી ખુલશે.તો,કૃષિ આદાન વિક્રેતાઓની દુકાનો સોમવાર અને ગુરુવારે સવારે 6 થી 11 દરમિયાન ખુલશે. ડેરી અને દૂધની દુકાનો દરરોજ સવારે 6 થી 11 દરમિયાન અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખોલી શકાશે. જ્યારે મંડીઓ,ફળો-શાકભાજી અને ફૂલોની માળા દરરોજ સવારે 6 થી 11 દરમિયાન ખુલ્લી રહેશે.