1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમિત સરકારી કર્મચારીને 10 દિવસની સવેતન રજા અપાશે
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમિત સરકારી કર્મચારીને 10 દિવસની સવેતન રજા અપાશે

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમિત સરકારી કર્મચારીને 10 દિવસની સવેતન રજા અપાશે

0
Social Share
  • રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે
  • આ વચ્ચે રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત
  • સરકારી કર્મચારીને કોરોના થશે તો અપાશે 10 દિવસની રજા

નવી દિલ્હી: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રૂપાણી સરકારે તેમના તમામ કર્મચારીઓ, ખાસ કરીને ફીક્સ પગારના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ફીક્સ પગાર ધોરણે કાર્યરત કર્મચારી અને કરાર આધારિત કર્મચારી કોરોના સંક્રમણનો શિકાર બને છે તો તેઓને 10 દિવસની સવેતન રજા આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્ણય લીધો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહીં હોય અને તે કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખાસ નિયમ હેઠળ રજા આપવામાં આવશે.

રુપાણી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં મહત્વનું પાંસુ એ છે કે કોરોનાથી સંક્રમિત કોઇપણ પ્રકારના કર્માચારીને 10 દિવસની રજા ફીકસ પગાર ધોરણે આપવામાં આવશે. એટલે કે રજા જમા નહીં હોય તો પણ ફીક્સ પગાર ધોરણના કર્મચારી અને કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથેની રજાઓ મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર જ્યાં દેશભરમાં કહેર વર્તાવી રહી છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા તેના તમામ કર્મચારીઓને લઇને રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચાર મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં સ્થિતિ કફોડી બની ચૂકી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code