1. Home
  2. ગુજરાતી
  3. કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી
કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

0
Social Share
  • “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ
  • કોવિડ ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત
  •  માટે વીમા યોજના વધુ 180 દિવસ માટે લંબાવવામાં આવી

દિલ્હી:કોરોના વાયરસ સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.

કોવિડ-19 દર્દીઓની સંભાળ લેવા માટે નિયુક્ત કરાયેલા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને સલામતી જાળ પૂરી પાડવાના હેતુથી આ યોજના લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તા. 19મી એપ્રિલ 2022ના રોજ એક પત્ર તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો /મુખ્ય સચિવો /સચિવો ને તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરોગ્ય કર્મચારીઓમાં વ્યાપક પ્રચાર કરવા માટે જારી કરવામાં આવ્યા છે.

PMGKP રૂ.  50 લાખથી 22.12 લાખનું વ્યાપક વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરવા માટે 30મી માર્ચ, 2020ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. સામુદાયિક આરોગ્ય કાર્યકરો અને ખાનગી આરોગ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે જેઓ કોવિડ-19 દર્દીઓના સીધા સંપર્કમાં અને સંભાળમાં હોઈ શકે છે અને આનાથી પ્રભાવિત થવાનું જોખમ હોઈ શકે છે તેમના સહિતનાઆરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે આ યોજના લોન્ચ કરાઈ હતી.

વધુમાં, અભૂતપૂર્વ પરિસ્થિતિને કારણે, ખાનગી હોસ્પિટલ સ્ટાફ/નિવૃત્ત/સ્વયંસેવક/સ્થાનિક શહેરી સંસ્થાઓ/કોન્ટ્રેક્ટ/દૈનિક વેતન/એડ-હૉક/આઉટસોર્સ્ડ સ્ટાફ દ્વારા રાજ્ય/કેન્દ્રીય હોસ્પિટલો/કેન્દ્ર/રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્વાયત્ત હોસ્પિટલો, AIIMS અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (INI)/કેન્દ્રીય મંત્રાલયોની હોસ્પિટલો ખાસ કરીને COVID-19 દર્દીઓની સંભાળ માટે તૈયાર કરવામાં આવી છે તે પણ PMGKP હેઠળ આવરી લેવામાં આવી છે.

આ યોજના શરૂ થઈ ત્યારથી, અત્યાર સુધીમાં કોવિડ સંબંધિત ફરજો માટે નિયુક્ત મૃત્યુ પામેલા આરોગ્ય કર્મચારીઓના 1905 દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code