1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા સિંગર શંકર મહાદેવન RSSના દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ રહેશે
જાણીતા સિંગર શંકર મહાદેવન RSSના દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ રહેશે

જાણીતા સિંગર શંકર મહાદેવન RSSના દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ રહેશે

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડના દિગ્ગજ ગાયક શંકર મહાદેવન પોતાના ગીતોથી દર્શકોનું મનોરંજન કરતા રહે છે. અવાર નવાર તેઓ  અનેક મોટા પ્રસંગે પોતાનું પર્ફોમન્સ આપતા દર્શકોને નજરે પડે છે તેમણે પોતાની  ગાયકીને સામાન્ય જનતાથી લઈને રાજકીય પક્ષ સુધી મશહૂર બનાવી છે.

 આ વખતે સંગીતકાર શંકર મહાદેવન આરએસએસ હેડક્વાર્ટરમાં મુખ્ય અતિથિ હશે. આ વખતે આરએસએસ હેડક્વાર્ટરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. RSSએ મુખ્ય અતિથિનું નામ જાહેર કરીને ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે આરએસએસ તેની સ્થાપનાથી જ દર વર્ષે નાગપુરમાં વિજયાદશમી કાર્યક્રમનું આયોજન કરે છે. ગયા વર્ષે, સંઘે પ્રથમ વખત પર્વતારોહક સંતોષ યાદવને કાર્યક્રમમાં મહિલા અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. સંઘે સંતોષ યાદવને એટલા માટે બોલાવ્યો હતો કારણ કે તેણે 1992માં પહેલીવાર અને 1993માં બીજી વખત એવરેસ્ટ શિખર સર કર્યું હતું. આ કરીને તેણે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.

શંકર મહાદેવ વાળા આ સમાચાર વાયરલ થતાં જ ચાહકોએ શંકર મહાદેવનને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, આ વખતે વિજયાદશમી ખૂબ જ ખાસ રહેવાની છે. અન્ય એક યુઝરે લખ્યું, આતુરતાથી દશેરાની રાહ જોઈ રહ્યા છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code