1. Home
  2. ગુજરાતી
  3. માર્ગ અકસ્માતના બનાવમાં પીડિતોને કેશલેસ સારવાર મળશે, સરકાર શરૂ કરશે પાયલોટ પ્રોજેક્ટ
માર્ગ અકસ્માતના બનાવમાં પીડિતોને કેશલેસ સારવાર મળશે, સરકાર શરૂ કરશે પાયલોટ પ્રોજેક્ટ

માર્ગ અકસ્માતના બનાવમાં પીડિતોને કેશલેસ સારવાર મળશે, સરકાર શરૂ કરશે પાયલોટ પ્રોજેક્ટ

0
Social Share

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવાર આપવાના એક પાયલોટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. ચંદીગઢમાં આ પ્રોજોક્ટને શરૂ કરવા કેન્દ્ર સકરકાર તૈયાર છે. જો પ્રોજેક્ટ સફળ થશે તો કેશલેસ સારવારની સુવિધા દેશભરમાં વિસ્તારવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પીડિતોની સમયસર સંભાળ સુનિશ્ચિત કરીને કરવાનો છે. 

ખાસ કરીને પ્રથમ કલાકમાં તેની ખાતરી કરીને માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને રોકવાનો છે. આયુષ્માન ભારત PM-JAY અને નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) પાયલોટ પ્રોગ્રામ માટે અમલીકરણ એજન્સી હશે.

આ સુવિધા તમામ રોડ કેટેગરીમાં મોટર વાહનોના ઉપયોગથી થતા માર્ગ અકસ્માતો માટે છે. પીડિત મહત્તમ રૂ. 15 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. અકસ્માતના દિવસથી મહત્તમ 7 દિવસના સમયગાળા માટે પ્રતિ અકસ્માત 1.5 લાખથી વધુમાં, પીડિત આયુષ્માન ભારત PM-JAY પેકેજો હેઠળ ટ્રોમા અને પોલિટ્રોમા સારવાર લઈ શકે છે. 

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code