Homeગુજરાતીચૈત્ર અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ, 9 દિવસ માતાજીની આરાધનાથી મનોકામના પૂર્ણ...

ચૈત્ર અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ, 9 દિવસ માતાજીની આરાધનાથી મનોકામના પૂર્ણ થાય છે

આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવા સ્વરૂપોની પૂજા અને વ્રત રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન માતાજી ધરતી પર આવે છે અને નવ દિવસ  અહીં નિવાસ કરે છે અને આ નવ દિવસમાં તે પોતાના ભક્તોને તેમની દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે.

હિંદુ ધર્મગ્રંથો અનુસાર એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. જેમાં મુખ્યત્વે બે નવરાત્રી – ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી પ્રચલિત છે. આ બંને નવરાત્રિનું વિશેષ મહત્વ છે.

શારદીય નવરાત્રિમાં ભક્તો મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરીને ધાર્મિક વિધિ અનુસાર તેમની પૂજા કરે છે. મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થઈને ભક્તોને ધન ભંડાર ભર્યો રહેવા તેવા  આશીર્વાદ આપે છે.

નવરાત્રિમાં મા દુર્ગાના આશીર્વાદથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમની બધી મુશ્કેલીઓ અને પાપ દૂર થાય છે અને પરિવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે છે.

વાલ્મીકિ પુરાણમાં વર્ણવેલ વાર્તા અનુસાર, ભગવાન શ્રી રામે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઋષ્યમૂક પર્વત પર પરમશક્તિ મહિષાસુરમરદિની દેવી દેવી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી હતી.

આ પછી દશમીના દિવસે તે કિષ્કિંધા પર્વત પરથી લંકા ગયા અને રાવણનો વધ કર્યો હતો. આ પૂજા દરમિયાન ભગવાન શ્રી રામજીએ આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ, શત્રુના પરાજય અને મનોકામનાઓની પૂર્તિ માટે માતાના આશીર્વાદ લીધા હતા.

સંબંધિત લેખો

Most Popular